લોકસભા ચૂંટણી 2024: PM મોદીએ કહ્યું- તૃણમૂલે રામનવમીની ઉજવણી રોકવાના શક્ય તમામ પ્રયત્ન કર્યા
- 16 Apr, 2024
રામનવમીની પૂર્વસંધ્યાએ પશ્ચિમ બંગાળમાં રાજકારણ ગરમાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસક પક્ષ એવા તૃણમૂલ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે પાર્ટીએ બંગાળમાં રામનવમીની ઉજવણી રોકવાનો સંપૂર્ણ પ્રયાસ કરી લીધો. બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ બીજેપી પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે બીજેપી રાજ્યના અધિકારીઓની બદલીઓમાં દખલગીરી કરી રહી છે. જો રાજ્યમાં કોઈપણ પ્રકારનું કોમી થશે તો તેની જવાબાદારી બીજેપીની રહેશે.
ઉલ્લેખનીય છે કે કોલકતા હાઈકોર્ટે સોમવારે વિશ્વ હિન્દુ પરિષદને રામનવમીની રેલી કાઢવા અંગેની પરવાનગી આપી હતી. કોર્ટમાં રજૂઆત કરતા સરકારે કહ્યું હતું કે ગત વર્ષે રાજ્યમાં રેલી દરમિયાન કોમી ફાટી નીકળ્યું હતું. સરકારે તેને ધ્યાનમાં રાખીને રેલી માટે અન્ય એક માર્ગનું પણ સુચન કર્યું હતું.
પં.બંગાળમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રથમ એવી રામનવમી છે, જેની ઉજવણી દરમિયાન રામલલા અયોધ્યા સ્થિત ભવ્ય રામમંદિરમાં બિરાજમાન હશે. તેમણે વધુમાં કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસે અગાઉની જેમ જ રામનવમીની ઉજવણી રોકવાના તમામ પ્રયત્નો કર્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ